વાલીનું પ્રદાન

વાલી તેમનાં બાળકોના શિક્ષણ માટે વધુ જાગૃત થાય તે માટે તથા બાળકોના શૈક્ષણિક અને સામાજિક પ્રગતિ વિશે વાલીઓ માહિતી મેળવે તે હેતુથી શાળામાં નિયમિત બેઠકો (ઓપન હાઉસ)સેમીનાર રાખવામાં આવે છે. તેમાં શિક્ષકો અને વાલીઓ ભેગા મળી બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે, ચર્ચા વિચારણા કરે છે.

વાલી-શિક્ષક મંડળ

ઉત્કર્ષ વાલી શિક્ષક મંડળ વિદ્યાર્થીના વિકાસ માટે તથા વાલીઓમાં અભ્યાસકીય જાગૃતિ ઉભી કરવાના કાર્યક્રમોનું આયોજન તેમજ અમલીકરણ કરે છે.