બાલવાડીમાં બે વર્ષનો સમયગાળો હોય છે. જેમાં ઘર જેવા વાતાવરણમાં માર્ગદર્શન, રચનાત્મક કાર્યો તથા સહકારની ભાવના થકી બાળક્નો ઉછેર તથા સંભાળ રાખવામાં આવે છે. તેમનામાં રહેલ શક્તિ ખીલવવાનો પ્રયાસ કરવામાં આવે છે. પ્રત્યેક દિવસે અલગ કાર્યો કરાવવામાં આવે છે જેવા કે ચિત્રકામ, વાર્તા સંભળાવવી, કઠપૂતળીનો ખેલ બતાવવો, તહેવારોની ઉજવણી, કુદરતી વાતાવરણનો અનુભવ કરાવવો, ગીત-સંગીત તથા પ્રવાસ પ્રવૃતિઓની સાથે વાંચન-લેખનનું પૂર્વજ્ઞાન આપવામાં આવે છે.