માધ્યમિક: (ધો ૯ અને ૧૦)

પ્રાથમિક વિભાગમાં શિક્ષક તથા વાલીના સહપ્રયાસથી દરેક સ્તર સફળતા પૂર્વક પાર કરી વિદ્યાર્થી માધ્યમિક વિભાગમાં પ્રવેશે છે ત્યારે તેનામાં સ્વતંત્ર વિચારસરણી ખીલવાની શરૂઆત થઇ હોય છે. તેમજ વિધાર્થી સ્વતંત્ર રીતે અભ્યાસ કરી શકે તેવી અપેક્ષા સહ તેમજ શાળાના દરેક વિષયના નિપુણ શિક્ષકના કાયમી પ્રોત્સાહન થકી ગુજરાત માધ્યમિક તથા ઉ.માધ્યમિક બોર્ડની પરીક્ષામાં ઉત્તિર્ણ થઇ તેમજ બોર્ડમાં આગલી હરોળમાં નંબર લાવવા એક સફળ પ્રયાસ કરવામાં આવે છે. આ વિભાગમાં પ્રત્યેક વિધાર્થીની રુચી અનુસાર તેમજ તેના રસના વિષય પસંદ કરવામાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે તથા નાટક, કળા વગેરેની પ્રવૃત્તિઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ રમતગમતમાં ભાગ લેવડાવવા માટે શિક્ષકો દ્વારા કાયમ પ્રોત્સાહિત કરવામાં આવે છે.